હું મારા ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી બનાવતી : અલાયા ફર્નિચરવાલા

10 February, 2020 01:08 PM IST  |  Mumbai Desk

હું મારા ભવિષ્ય માટે કોઈ પ્લાન નથી બનાવતી : અલાયા ફર્નિચરવાલા

અલાયા ફર્નિચરવાલા તેના ભવિષ્ય માટે કોઈ પ્લાન પહેલેથી નથી બનાવતી. તેણે ‘જવાની જાનેમન’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે પોતાની આગામી ફિલ્મ વિશે કોઈ ફોડ પાડ્યો નથી. એ વિશે અલાયાએ કહ્યું હતું કે ‘હું મારા ઑપ્શન્સને એક્સપ્લોર કરી રહી છું. લોકો પાસેથી ઘણી ઑફર્સ મળી રહી છે. એને લઈને હું સૌની આભારી છું. આશા રાખું છું કે એ બધામાંથી હું યોગ્ય ફિલ્મની પસંદગી કરી શકું. ભવિષ્યમાં શું કરવું અને શું ન કરવું એને લઈને કોઈ આઇડિયા નથી બનાવતી. મારી ઇચ્છા છે કે લોકો મને દરેક પ્રકારની ફિલ્મોમાં જોઈ શકે. એક કલાકાર તરીકે હું કોઈ કૅટેગરી અથવા તો કોઈ ચોક્કસ રોલમાં બંધાવા નથી માગતી.’

bollywood bollywood news bollywood gossips