સલમાન સાથે કામ કરતી વખતે પર્સનાલિટીનું ખાસ ધ્યાન રાખવું પડે: અતુલ

27 May, 2019 11:00 AM IST  | 

સલમાન સાથે કામ કરતી વખતે પર્સનાલિટીનું ખાસ ધ્યાન રાખવું પડે: અતુલ

અતુલ અગ્નિહોત્રી

‘ભારત’ના પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રી મુજબ સલમાન ખાન સાથે કામ કરતી વખતે તેની પર્સનાલિટીનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સલમાન સાથે કામનો અનુભવ જણાવતાં અતુલ અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘સલમાન જેવા સુપરસ્ટારની સાથે કામ કરીએ તો તમને રાહત તો હોય, પરંતુ સાથે જ તમે ચિંતિત પણ રહો છો. તેમની સાથે કામ કરવું એક જવાબદારી પણ લઈને આવે છે.

આ પણ વાંચો : ટાઇગર માટે મારા દિલમાં હંમેશાં સૉફ્ટ કૉર્નર રહેશે: ક્રિતી સૅનન

તેની ફિલ્મોમાં ચૅલેન્જિસ તો હોય છે સાથે જ લોકોને અપેક્ષાઓ પણ વધુ હોય છે. તેને દરેક પાસેથી ભરપૂર પ્રેમ, પ્રશંસા અને સપોર્ટ મળે છે. તેના ફૅન્સ પ‌ણ અતિશય છે. ‘ભારત’ દ્વારા અમે તેના ફૅન્સને મનોરંજન આપવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. તે અનેક બાબતમાં આદર્શ છે. તે લાર્જર ધૅન લાઇફની પર્સનાલિટી ધરાવે છે અને લોકોને એ ગમે છે. એથી સલમાન સાથે કામ કરતી વખતે અમારે એ બાબત દિમાગમાં રાખવી પડે છે.’

સલમાનની બહેન અલ્વિરા સાથે અતુલનાં લગ્ન થયાં છે. જોકે કામની બાબતમાં તેમના સંબંધો પ્રોફેશનલ રહે છે. આ વિશે વધુ જણાવતાં અતુલ અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘સલમાન ખૂબ જ બિઝી અને તેના કામને લઈને ખૂબ સમર્પિત છે. એથી તમારી ડિમાન્ડ અવ્યવહારુ ન હોવી જોઈએ. તેના કામને અને તેના સમયને પણ રિસ્પેક્ટ આપવો જરૂરી છે. અમારી વચ્ચે અંગત સંબંધો છે. જોકે કામ કરતી વખતે અમે ડિસિપ્લિન જાળવીએ છીએ. કામ અમે અલગ જ જોશથી કરીએ છીએ. અમારી વચ્ચેની લાગણીઓ પણ અલગ હોય છે.’

atul agnihotri Salman Khan bollywood news