અમ્રિતા ઇચ્છા છે કે ઈશ્ક-વિશ્કની રીમેકમાં એનું પાત્ર સારા અલી ખાન ભજવે

17 July, 2019 02:06 PM IST  |  મુંબઈ

અમ્રિતા ઇચ્છા છે કે ઈશ્ક-વિશ્કની રીમેકમાં એનું પાત્ર સારા અલી ખાન ભજવે

અમ્રિતા રાવ

અમ્રિતા રાવનું કહેવું છે કે ‘ઈશ્ક વિશ્ક 2’માં પાયલનું પાત્ર સારા અલી ખાન ભજવે. ૨૦૦૩માં આવેલી ‘ઈશ્ક વિશ્ક’માં અમ્રિતાએ પાયલ મેહરાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં શેનાઝ ટ્રેઝરીવાલા પણ જોવા મળી હતી. જો આ ફિલ્મની રીમેક બનાવવામાં આવે તો એ વિશે પૂછવામાં આવતાં અમ્રિતાએ કહ્યું હતું કે ‘હું હાલમાં જેવી દેખાઉં છું એને જોતા મને લાગે છે કે ‘ઈશ્ક વિશ્ક 2’માં મને શાહિદ કપૂરનાં ભાઈ ઈશાન ખટ્ટરની ઑપોઝીટ લેવી જોઈએ. જોકે હું મજાક કરી રહી છું. પાયલનું પાત્ર કોણ ભજવશે? એને હાલમાં તો ક્વિઝ જ રહેવા દઈએ.’

આ પણ વાંચો : તેલુગુ કૉમેડી ઓહ! બેબીની હિન્દી રીમેક બનાવવાની ઇચ્છા છે રાણા દગુબટ્ટીને

જોકે તેને પૂછવામાં આવ્યું હતું કે સારા અલી ખાન, જાહનવી કપૂર, અનન્યા પાન્ડે અને તારા સુતરિયામાંથી આ રીમેક માટે તે કોને પસંદ કરશે. આ સવાલનો જવાબ આપતાં અમ્રિતાએ કહ્યું હતું કે કદાચ પાયલનું પાત્ર સારા અને શેનાઝનું કૅરૅક્ટર તારા ભજવી શકે છે.

amrita rao bollywood news