17 April, 2019 11:01 AM IST |
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનું કહેવું છે કે તેના માટે ફૅમિલી અને સંબંધો અગત્યનાં છે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે જીવનમાં આવતી સફળતા અને નિષ્ફળતાને તે મન પર નથી લેતી. આ વિશે વધુ જણાવતાં આલિયાએ કહ્યું હતું કે ‘મને ઍક્ટિંગ, ફિલ્મમેકિંગ અને એની સાથે સંકળાયેલા વિષયો પ્રત્યે ખૂબ લગાવ છે. એ બધા મારી લાઇફનો જ એક ભાગ છે, પરંતુ એ મારી લાઇફ નથી. મેં એવું અનુભવ્યું છે કે મારો પરિવાર, મારા સંબંધો અને જે મારી સાથે લાગણીથી જોડાયેલા છે એ બધા મારા માટે અગત્યના છે. આ બધી વસ્તુઓનો અહેસાસ તમને ઉંમરની સાથે થાય છે.
હું આજે પણ મારી દરેક ફિલ્મને સો ટકા આપું છું. જોકે હું એમ પણ કહું છું કે મારી લાઇફમાં જે લોકો છે તેમની સાથે સંકળાયેલી યાદો અને તેમની સાથે વિતાવેલો સમય એ બધું મારા માટે મહત્વનું છે. મારી જર્ની સાથે વધારે પડતું જોડાઈ રહેવું મને નથી ગમતું. સફળતા મળે કે નિષ્ફળતા મળે, હું એને મારા મન પર નથી લેતી.
આ પણ વાંચો : Kalank Celeb Review:જાણો બોલીવુડ સેલેબ્સે શું કહ્યું ?
હું કોઈ વસ્તુ સાથે ક્યારેક જોડાઉં છું તો જરૂર પડ્યે હું એનાથી પોતાની જાતને દૂર પણ કરી લઉં છું. હું જ્યાં સુધી કામ કરતી હોઉં છું હું ખુશ હોઉં છું. હું સતત કામ કરવા માગું છું. જોકે એ વાત પણ અગત્યની છે કે દરેક વસ્તુને દિલ પર ન લેવી જોઈએ.’