રિશી કપૂરના અવસાન બાદ આશા ભોસલેએ કહ્યું, ચોથું બાળક ગુમાવ્યું છે

04 May, 2020 08:58 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

રિશી કપૂરના અવસાન બાદ આશા ભોસલેએ કહ્યું, ચોથું બાળક ગુમાવ્યું છે

આશા ભોસલે

રિશી કપૂરના અવસાન બાદ પોતાનું ચોથું બાળક ગુમાવ્યું હોય એવું આશા ભોસલેને લાગી રહ્યું છે. રિશી કપૂરનું નિધન સૌના માટે એક આંચકા સમાન જ છે. એવામાં તેમના પ્રતિની લાગણી વ્યક્ત કરતાં આશા ભોસલેએ કહ્યું હતું કે ‘તેમના નિધનના સમાચાર મળતાં હું તૂટી ગઈ હતી. મને એવું લાગ્યું જાણે કે મારાં ત્રણ બાળકોમાંથી જે ચોથું બાળક હતું તેનું અવસાન થયું છે. હું હજી સુધી તેમના પરિવાર સાથે વાત કરી શકી નથી, કેમ કે મને એમ લાગે છે કે આ સમય તેમની સાથે વાત કરવા માટે યોગ્ય નથી. જોકે તેઓ પણ જાણે છે કે મારો તેમના પર અપાર પ્રેમ હતો.’

bollywood asha bhosle bollywood news rishi kapoor bollywood gossips