હું રિસ્ક લેવાથી ગભરાતો નથી : આનંદ એલ. રાય

22 January, 2019 10:59 AM IST  | 

હું રિસ્ક લેવાથી ગભરાતો નથી : આનંદ એલ. રાય

‘ઝીરો’ના ડિરેકટર આનંદ એલ. રાય

‘ઝીરો’ના ડિરેકટર આનંદ એલ. રાયનું કહેવું છે કે તેઓ કોઈ પણ જાતનું રિસ્ક લેવાથી ડરતા નથી. ૨૧ ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘ઝીરો’ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તેમનું કહેવુ છે કે ફિલ્મની નિષ્ફળતાએ તેમને ઘણુંબધું શીખવ્યું છે. આ વિશે આનંદ એલ. રાયે કહ્યું હતું કે ‘હું એમ નથી કહેતો કે હું નિરાશ થયો છું. મારે એ જાણવાની જરૂર છે કે ક્યાં ભૂલ થઈ હતી. મારે આ સ્ટોરી કહેવી હતી એટલે મેં આ ફિલ્મ બનાવી. ‘રાંજણા’, ‘તનુ વેડ્સ મનુ’ અને એની સીક્વલ બાદ મારે ‘ઝીરો’ બનાવવી હતી.

આ પણ વાંચો : ઉરી બની વર્ષની પહેલી બ્લૉકબસ્ટર ફિલ્મ

જોકે હું એને યોગ્ય રીતે રજૂ ન કરી શક્યો. આ ફિલ્મથી હું ઘણું શીખ્યો છું અને એ અનુભવ એક ડિરેક્ટર તરીકે મને આગળ વધવામાં મદદ કરશે. હું રિસ્ક લેવાથી અને એક્સપરિમેન્ટ કરવાથી ડરતો નથી.’

anand l rai Zero bollywood news