ચિરંજીવીને મળ્યો ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર અવૉર્ડ

22 November, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિરંજીવીને અભિનંદન આપ્યાં છે.

ચિરંજીવી

ચિરંજીવીને ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરના અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવૉર્ડ મળતાં તેમણે ટ્વિટર પર આભાર વ્યક્ત કર્યો છે. અવૉર્ડ મળ્યા બાદ ટ્વિટર પર ચિરંજીવીએ ટ્વીટ કર્યું હતું કે ‘આ સન્માન મળતાં હું અતિશય ખુશ અને સન્માનિત અનુભવી રહ્યો છું. અનુરાગ ઠાકુર અને ભારત સરકારનો દિલથી આભાર માનું છું. આજે હું અહીં સુધી પહોંચ્યો છું એનું શ્રેય ફૅન્સે આપેલા પ્રેમને જાય છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન આપ્યાં છે. ટ્વિટર પર નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું, ‘ચિરંજીવી ગારુ ગજબના છે. તેમનું ભવ્ય કામ, વિવિધ રોલ્સ અને સારા સ્વભાવને કારણે દરેક પેઢીના લોકોની વચ્ચે તેઓ લોકપ્રિય છે. ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરના અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવતાં હું તેમને અભિનંદન આપું છું.’

નરેન્દ્ર મોદીએ આપેલાં અભિનંદનનો રિપ્લાય આપતાં ચિરંજીવીએ ટ્વીટ કર્યું હતું, ‘હું ખૂબ સન્માન અને ખુશી અનુભવી રહ્યો છું. સન્માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, તમારા પ્રશંસાભર્યા શબ્દોનો હું આભારી છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood chiranjeevi