આદિત્ય પંચોલીએ કો-સ્ટારને તમાચો માર્યો

06 August, 2015 04:09 AM IST  | 

આદિત્ય પંચોલીએ કો-સ્ટારને તમાચો માર્યો



માહિતી મુજબ આ ફિલ્મના એક દૃશ્યનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું હતું ત્યારે આદિત્યે વિજે પાસે જઈને તેને એક તમાચો મારી દીધો હતો. આ તમામ ઘટના થોડી જ સેકન્ડમાં ઘટી ગઈ હતી. આદિત્ય તેના ગુસ્સા માટે જાણીતો છે. આ ઘટના દરેક માટે આઘાતજનક હતી. વિજે માટે આ ખૂબ જ શરમજનક બાબત હતી, કારણ કે આદિત્યે તેને ઘણા લોકોની સામે તમાચો માર્યો હતો. આ ઘટના કન્ટ્રોલ બહાર જતાં ફિલ્મના ડિરેક્ટરે વચ્ચે પડીને તેમને શાંત પાડવા પડ્યા હતા.

ફેબ્રુઆરી મહિનામાં આદિત્ય પંચોલીએ ‘બાજીરાવ મસ્તાની’ના સેટ પર ક્રૂ-મેમ્બર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. એથી આદિત્યને એ સમયે સેટ પરથી જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું.

આદિત્યે કોઈ પણ કારણ વગર વિજેને તમાચો મારી દીધો હતો. આ વિશે વિજે કહે છે, ‘આદિત્ય સર અચાનક મારી પાસે આવીને કંઈ પણ કહ્યા વગર સમગ્ર યુનિટની સામે મને તમાચો મારી દીધો હતો. એટલું જ નહીં તેમણે ઘણા સમય સુધી મારું અપમાન કર્યું હતું અને અપશબ્દો પણ કહ્યા હતા. એ સમયે હું લાચાર હતો અને મારે તેમની સાથે શૂટિંગ પૂરું કરવું પડ્યું હતું.’