મુંબઈના ડબ્બાવાળાની વહારે આવ્યો સંજય દત્ત

10 June, 2020 09:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ડબ્બાવાળાની વહારે આવ્યો સંજય દત્ત

સંજય દત્તે હાલમાં જ મુંબઈના ડબ્બાવાળા વિશે ચિંતા વ્યક્ત કરીને તેમને સપોર્ટ કરવાની વાત કરી છે. ડબ્બાવાળાને મુંબઈની બીજી લાઇફલાઇન કહેવામાં આવે છે. તેઓ વર્ષોથી દરેક પરિસ્થિતિનો સામનો કરીને લોકોને ભોજન પહોંચાડતા હતા. જોકે આ લૉકડાઉનમાં તેમનું કામ અટકી પડ્યું છે અને તેમને પણ સપોર્ટની જરૂર છે. આ વિશે પૉલિટિશ્યન અસલમ શેખે ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈની બીજી લાઇફલાઇન ગણાતા ડબ્બાવાળા છેલ્લાં સો વર્ષથી પણ વધુ સમયથી લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે. લૉકડાઉનના આ સમયમાં તેમને મદદ કરવા માટે મહા વિકાસ આઘાડી સરકાર કટીબદ્ધ છે.’

આ ટ્વીટ બાદ સંજય દત્તે પણ ટ્વીટ કર્યું હતું કે ‘ડબ્બાવાળા ઘણાં વર્ષોથી મુંબઈકર્સ માટે ભોજન પહોંચાડવાની સેવા પૂરી પાડી રહ્યા છે. આ સમય આવી ગયો છે કે આપણે બધાએ સાથે મળીને તેમને સપોર્ટ કરવો જોઈએ. આ માટે હું મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર, આદિત્ય ઠાકરે અને સુનીલ શેટ્ટીને વિનંતી કરું છું.’

coronavirus covid19 lockdown mumbai entertainment news bollywood sanjay dutt