વ્યાપક ખરીદીના ટેકે શૅરબજારમાં ઉછાળો

01 October, 2020 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વ્યાપક ખરીદીના ટેકે શૅરબજારમાં ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

વ્યાપક ખરીદીના ટેકે ગુરુવારે સ્થાનિક શૅરબજારોમાં 1.5 ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યો હતો. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા પણ સારા આવતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.  

સેન્સેક્સ 629.12 પોઈન્ટ્સ (1.65 ટકા) વધીને 38,697.05ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 169.40 પોઈન્ટ્સ (1.5 ટકા) વધીને 11,416.95 બંધ રહ્યો હતો, જોકે વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 6.5 ટકા ઘટીને 18.27ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બૅન્ક અને બજાજ ફાઈનાન્સ, એક્સિસ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ટેક મહિન્દ્રના શૅર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને 14,813ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી સ્મોલકેપ ઈન્ડેક્સ 3.7 ટકા વધીને 22,246ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક સૂચકાંક 3.70 ટકા, ઓટો 0.73 ટકા, ફાઈ.સર્વિસ 3.08 ટકા, એફએમસીજી 0.56 ટકા, આઈટી 0.80 ટકા, મીડિયા 2.80 ટકા, મેટલ 0.83 ટકા, ફાર્મા 0.43 ટકા, પીએસયુ બૅન્ક 1.16 ટકા, પ્રાઈવેટ બૅન્ક 4.11 ટકા અને રિયલ્ટી 1.79 ટકા વધ્યો હતો.  

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 3.4 ટકા અને નિફ્ટી 3.3 ટકા વધ્યો હતો. આવતી કાલે ગાંધી જયંતિના નિમિત્તે શૅરબજાર બંધ રહેશે.

sensex nifty business news