22 September, 2022 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
કલ્પના કરો કે જો તમારી કંપની તમને રજા માંગ્યા વગર થોડા દિવસની એડવાન્સ રજા આપે તો..! મજા પડી જાય ને! `જા જી લે અપની ઝિંદગી` એટલે કે એક મિનિટ માટે તમને લાગશે કે તમે સપનામાં છો, પરંતુ હકીકતમાં કેટલીક કંપનીઓ આવી પણ હોય છે. એવા પણ લોકો છે જેઓ તેમના કર્મચારીઓની સારી સંભાળ રાખે છે. હકીકતમાં, તાજેતરમાં જ ઈ-કોમર્સ કંપની મીશો (Meesho) તેના કર્મચારીઓ માટે એક શાનદાર રજા નીતિ લઈને આવી છે, જેના વિશે કંપનીના સ્થાપક અને CTO સંજીવ બરનવાલે ટ્વિટર પર આની જાહેરાત કરી છે.
મીશોના કહેવા પ્રમાણે, જો કર્મચારીઓ ખુશ હશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો કર્મચારીઓ ખુશ હશે તો તેઓ સખત મહેનત કરશે, તેથી જ માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે કંપનીએ સતત બીજા વર્ષે 11 દિવસ (22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી) માટે `રીસેટ અને રિચાર્જ બ્રેક`ની જાહેરાત કરી છે. તે પણ એવા સમયે જ્યારે ઘણી ઓનલાઈન શોપિંગ સાઈટ્સ સેલ ખોલી રહી છે, કર્મચારીઓ પ્રત્યે કંપનીનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે.
ટ્વિટર પર આની જાહેરાત કરતા કંપનીના સ્થાપક અને CTO સંજીવ બરનવાલે કહ્યું કે, અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય અમારા કર્મચારીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો છે. અમે સતત બીજા વર્ષે કર્મચારીઓ માટે 11 દિવસના બ્રેકની જાહેરાત કરી છે. આગામી તહેવારો પછી મીશોના કર્મચારીઓ 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીની રજાઓનો ઉપયોગ તેમના માનસિક થાકને દૂર કરવા માટે કરી શકશે. કર્મચારીઓ આ રજાઓનો ઉપયોગ તેમના પરિવાર સાથે સમય પસાર કરવા, ક્યાંક મુસાફરી કરવા માટે કરી શકશે.
આ પણ વાંચો: એસઆઇપી સામે હવે આવ્યા છે એસડીપી : બહેતર કોણ?
ફ્રેન્ડ સર્કલમાં ઘણી વખત એક વિષય જે ખૂબ જ ટ્રેન્ડિંગ હોય છે તે તેમની સંબંધિત કંપનીની સેવાઓ વિશે ચર્ચા કરવાનો હોય છે. ઘણી વખત એમ્પ્લોયર (જે કંપનીમાં તમે કામ કરો છો) અને તેની તરફથી ઉપલબ્ધ સુવિધાઓ વિશે વાતચીત શરૂ થાય છે. આ દરમિયાન ઘણા લોકો તેમની સંબંધિત કંપનીઓની સુવિધાઓ અને રજા નીતિથી એટલા પ્રભાવિત છે કે તેઓ કંપનીના વખાણ કરતાં થાકતા નથી. હા, ઘણી કંપનીઓ આ રીતે રજા નીતિ ધરાવે છે. તાજેતરમાં એક કંપનીની રજા નીતિ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
તે જ સમયે, મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રેએ પણ એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે અવકાશયાત્રીઓને પણ બ્રેકની જરૂર છે અને કંપનીમાં `મૂનશોટ મિશન` પર કામ કરતા લોકોને પણ. અગાઉ મીશોએ અનંત કલ્યાણ વેકેશન, પેરેંટલ લીવના 30 અઠવાડિયાની જાહેરાત કરી છે.