25 January, 2022 12:05 PM IST | Mumbai | Nitesh Buddhadev
પ્રતીકાત્મક તસવીર
દા.ત. રવિ શાહ પાસે આ પ્રમાણેની યુલિપ પૉલિસીઓ છે :
ધારો કે યુલિપ ૧, ૨, ૩ અને ૪માં વીમાની રકમ અનુક્રમે ૧૧ લાખ, ૧૭ લાખ, ૧૯ લાખ અને ૧૨ લાખ રૂપિયા છે. યુલિપ ૧માંથી મળનારી રકમ આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૦ડી) હેઠળ કરમુક્ત રહેશે, કારણ કે એ પૉલિસી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ની પહેલાં ઇશ્યુ કરવામાં આવી છે.
રવિ શાહ યુલિપ ૧ માટે નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧માં કરમુક્તિનો ક્લેમ કરે છે. સરકારે બજેટમાં કરેલી જાહેરાતને પગલે થોડી અસ્પષ્ટતા હતી. હવે પરિપત્રકમાં કહેવામાં આવ્યા મુજબ જે પૉલિસીઓનું કુલ પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં ઓછું હશે એમના માટે રવિ શાહ કરમુક્તિનો ક્લેમ કરી શકશે. આમ તેઓ ફક્ત યુલિપ ૩ માટે કરમુક્તિનો ક્લેમ કરી શકે છે અથવા તો યુલિપ ૨ અને યુલિપ ૪ એ બન્ને માટે કરમુક્તિનો ક્લેમ કરી શકે છે, કારણ કે એ બન્નેનું કુલ પ્રીમિયમ ૨.૫ લાખ રૂપિયાથી વધારે થતું નથી. યુલિપ ૨ અને યુલિપ ૪ માટે કરમુક્તિનો ક્લેમ કરવાનું એમના માટે વધારે લાભદાયક ઠરશે, કારણ કે એ બન્ને મળીને એમને વીમાની મોટી રકમ મળે છે અને કેપિટલ ગેઇન્સ ટૅક્સથી બચી શકાય છે.
હવે ધારો કે સમીર મહેતાએ અહીં જણાવ્યા પ્રમાણેની યુલિપ પૉલિસીઓ લીધી છે :
ધારો કે સમીરભાઈને યુલિપ ‘અ’માંથી ૧ એપ્રિલ, ૨૦૩૧ના રોજ ૧૪ લાખ રૂપિયા મળવાના છે અને તેઓ આ રકમ માટે નાણાકીય વર્ષ ૨૦૩૧-૨૨માં કરમુક્તિનો ક્લેમ કરે છે. એમને ૧ એપ્રિલ, ૨૦૩૨ના રોજ યુલિપ ‘બ’માંથી ૧૮ લાખ રૂપિયા મળવાના છે. આ રકમ કરપાત્ર બનશે, કારણ કે યુલિપ ‘અ’ અને ‘બ’ મળીને કુલ વાર્ષિક પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં વધારે થાય છે અને એમણે યુલિપ ‘અ’માંથી મળેલી રકમ માટે પાછલા વર્ષે જ કરમુક્તિ ક્લેમ કરી લીધી છે.
ખરી રીતે તો સમીરભાઈએ નાણાકીય વર્ષ ૨૦૩૧-૩૨માં કરમુક્તિનો ક્લેમ કરવો ન જોઈએ. જો તેઓ વર્ષ ૨૦૩૨-૩૩માં ક્લેમ કરે તો યુલિપ ‘બ’નું પ્રીમિયમ ૨.૫ લાખ કરતાં ઓછું એટલે કે ૧.૫ લાખ રૂપિયા હોવાને લીધે એમને કરમુક્તિનો લાભ મળી શકે છે. સમીરભાઈ યુલિપ ‘અ’ સંબંધે ૧૪ લાખ રૂપિયા માટે કરમુક્તિનો લાભ લે એના કરતાં એમણે યુલિપ ‘બ’માં મળનારા ૧૮ લાખ માટે લાભ લેવો જોઈએ.