ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

15 January, 2021 01:30 PM IST  |  Mumbai | Mumbai correspondent

ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

ભારતીય અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસર નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં નહીં, પણ ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં થવાનો અંદાજ ફિચ રેટિંગ્સે વ્યક્ત કર્યો છે.
આ આંતરરાષ્ટ્રીય રેટિંગ ઍજન્સીનું કહેવું છે કે શરૂઆતમાં એટલે કે ૨૦૨૧-’૨૨માં અર્થતંત્રમાં ઉછાળો આવતાં વૃદ્ધિદર ૧૧ ટકા રહેશે, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩થી એમાં ૬.૫ ટકા જેટલી વૃદ્ધિ થશે.
ફિચના અહેવાલમાં ગુરુવારે કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં રોકાણ ઘટ્યું હોવાથી મધ્યમ ગાળામાં પુરવઠો પ્રમાણમાં ઓછો રહેશે. કોરોના પૂર્વે પુરવઠાની વૃદ્ધિનો વાર્ષિક અંદાજ ૭ ટકાનો હતો, પરંતુ ૨૦૨૦થી ૨૦૨૫ના ગાળામાં આ વૃદ્ધિદર ૫.૧ ટકા રહેવાની ધારણા છે. આ ઘટાડાનું કારણ રોકાણમાં થયેલો ઘટાડો છે.
ફિચે આગામી માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ દરમિયાન ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ૯.૪ ટકા ઘટવાની ધારણા છે. ગયા એપ્રિલ-જૂન ગાળામાં વૃદ્ધિદર પાછલા વર્ષની તુલનાએ ૨૩.૯ ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં ૭.૫ ટકા ઘટ્યો હતો.

business news