16 March, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સરકાર મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે પર્યાપ્ત સુરક્ષા ધોરણો વિકસાવવા માટે એક નવા માળખા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલ ડેટાના દુરુપયોગ અને પૂર્વ-ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સ દ્વારા જાસૂસી વિશેની ચિંતાઓને દૂર કરવા માટેનો છે.
ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે મોબાઇલ ફોનની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે અને સરકાર પર્યાપ્ત સુરક્ષા ધોરણો વિકસાવવા માટે હિતધારકો સાથે પરામર્શ કરી રહી છે.
ઇલેક્ટ્રૉનિક્સની વૈશ્વિક વૅલ્યુ ચેઇનમાં ભારત એક વિશ્વસનીય ખેલાડી તરીકે ઊભરી રહ્યું છે. મોબાઇલ ફોન અને ઍપ્લિકેશન્સની સુરક્ષા મહત્ત્વપૂર્ણ છે. સરકાર પર્યાપ્ત સુરક્ષા ધોરણો વિકસાવવા માટે હિતધારકો સાથે પરામર્શ કરી રહી છે એમ મંત્રાલયે જણાવ્યું હતું.
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે આ પહેલ વપરાશકર્તાઓના ડેટાના દુરુપયોગ અને પ્રી-ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સ દ્વારા જાસૂસીને લગતી અનેક હિતધારકો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને કારણે લેવામાં આવશે.
મોબાઇલ ફોન પ્લેયર્સે શૅર કર્યું હતું કે તેઓ ડેટાના દુરુપયોગને તપાસવાના સરકારના ઉદ્દેશ્ય સાથે સમાન પૃષ્ઠ પર છે, પરંતુ આ પ્રક્રિયા નવા હૅન્ડસેટ્સના લૉન્ચમાં વિલંબ તરફ દોરી શકે છે અને પૂર્વ-ઇન્સ્ટૉલ કરેલી ઍપ્લિકેશનોથી કમાયેલી આવકને પણ અસર કરી શકે છે.