કંપનીઓને એજીએમ યોજવા વધુ બે મહિનાનો સમય અપાયો

24 September, 2021 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપનીઓને આ છૂટ આપવાનું રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને કહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

કંપનીઓને ગઈ ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે વાર્ષિક સાધારણ સભા યોજવા વધુ બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

કંપનીઓ માટે આ સભા યોજવાની સમયમર્યાદા સપ્ટેમ્બર સુધીની હતી, જેને હવે વધારી દેવામાં આવી છે. કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે કંપનીઓને આ છૂટ આપવાનું રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને કહ્યું છે.

કંપની કાયદા મુજબ કૉર્પોરેટ્સે નાણાકીય વર્ષ પૂરું થયાના છ મહિનાની અંદર વાર્ષિક સાધારણ સભા યોજવાની હોય છે.

business news