ફાઈનાન્સિયલ શૅર્સના ટેકે સેન્સેક્સમાં ઉછાળો

04 December, 2020 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફાઈનાન્સિયલ શૅર્સના ટેકે સેન્સેક્સમાં ઉછાળો

પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વ્યાજદર યથાવત્ રાખતા શૅરબજારોમાં એક ટકા જેટલો વઘારો થયો હતો. સત્રના અંતે સેન્સેક્સ 446.90 પોઈન્ટ્સ (1 ટકા) વધીને 45,079.55ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 124.60 પોઈન્ટ્સ (0.95 ટકા) વધીને 13,258.50ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે 1483 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા, જ્યારે 1178 શૅર્સ ઘટ્યા હતા, તેમ જ 138 કંપનીઓના શૅરભાવ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, હિન્દાલકો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને સન ફાર્માના શૅરભાવ વધ્યા હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, બીપીસીએલ અને એચસીએલ ટેકના શૅર્સમાં ઘટાડો થયો હતો.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.44 ટકા વધીને 17,389ના સ્તરે જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 72 પોઈન્ટ્સ (0.42 ટકા) વધીને 17,317ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પાંચ ટકા ઘટીને 18ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં દરેક ઈન્ડેક્સ વધ્યા હતા. નિફ્ટી બૅન્ક 2.05 ટકા, ઓટો 0.62 ટકા, ફાઈ સર્વિસ 1.04 ટકા, એફએમસીજી 1.40 ટકા, આઈટી 0.48 ટકા, મીડિયા 0.10 ટકા, મેટલ 1.13 ટકા, ફાર્મા 1.20 ટકા વધ્યા હતા.

business news sensex nifty