અમે ખોટા હતા, ઇવેન્ટ માટે ઘણી ઉતાવળ કરી નાખી હતી : જોકોવિચ

25 June, 2020 04:34 PM IST  |  Belgrade | Agencies

અમે ખોટા હતા, ઇવેન્ટ માટે ઘણી ઉતાવળ કરી નાખી હતી : જોકોવિચ

નોવાક જોકોવિચ

કોરોના પૉઝિટિવ થયા બાદ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે ઍડ્રિયા ટૂર વિશે ઘણી ઉતાવળ કરી હોવાનું કહ્યું છે અને એ માટે પોતાની ભૂલ સ્વીકારી છે. આ વિશે વધુ જણાવતાં જોકોવિચે કહ્યું હતું કે ‘અમારી ટુર્નામેન્ટને પહોંચેલી હાનિ બદલ મને ઘણું દુઃખ છે. અમે છેલ્લા કેટલાક મહિનાથી સાચા મનથી આ ટુર્નામેન્ટની તૈયારી કરતા હતા. અમારી નિષ્ઠા પવિત્ર હતી. મારા ખ્યાલથી ટુર્નામેન્ટ માટે અમે દરેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સુરક્ષા રાખી હતી અને અમારા વિસ્તારમાં બધાની તબિયત પણ સારી હતી. કદાચ લોકો ભેગા થવાથી આ બીમારી ફેલાઈ હશે. અમે ખોટા હતા અને અમે ખોટી ઉતાવળ કરી હતી. મને નથી ખબર કે દરેક સંક્રમિત લોકો માટે મારે કઈ રીતે અને કેટલું સૉરી કહેવું જોઈએ. જે લોકો ઍડ્રિયા ટૂરમાં હાજરી આપવા આવ્યા હતા તેઓએ પ્લીઝ પોતાની કોરોના ટેસ્ટ કરવી લેવી જોઈએ. હાલપૂરતી બાકીની ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે. અમે સૌકોઈના સુખી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.’

tennis news novak djokovic sports news