20 March, 2020 12:40 PM IST | New Delhi | Agencies
સાનિયા મિર્ઝા
ઇન્ડિયન ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું છે કે ૨૦૨૦ ફ્રેન્ચ ઓપન શેડ્યુઅલમાં કેવી રીતે ફીટ બેસશે એ વિશે તેને કોઈ આઇડિયા નથી. કોરોનાને કારણે ગ્રૅન્ડ સ્લેમને સપ્ટેમ્બરમાં રિશેડ્યુલ કરવામાં આવી છે. ટ્વિટર પર સાનિયાએ કહ્યું કે ‘દુનિયામાં હમણાં ઘણું બધું ચાલી રહ્યું છે. બધાના હાથ ભરેલા છે. નક્કી પ્લયરોને આ વિશે જાણ કરવામાં આવી હતી. મને હજી સુધી ફેડરેશન પાસેથી કોઈ ઈ-મેઇલ પ્રાપ્ત નથી થયો એટલે હું સૂતી હતી. હું ઊઠી ત્યારે મેં ઈ-મેઇલ જોયો. મેં ટ્વિટર જોયું હતું. બીજા પ્લેયરો સાથે મેં વાત પણ કરી હતી. દરેકને આ વાતથી નારાજગી હતી કે તેમને આ વાતની જાણ પહેલાં ટ્વિટરથી થઈ હતી. મને નથી ખબર કે ફ્રેન્ચ ઓપન આ શેડ્યુઅલમાં રમાશે કે નહીં. આશા રાખું છું કે સ્થિતિ સુધરે અને અમે રમી શકીએ. મને એ નથી સમજ પડતી હાર્ડ કોર્ટ સેશનના એક અઠવાડિયા પછી અમે તરત જ ક્લે ટુર્નામેન્ટ કેવી રીતે રમી શકશું.’