10 June, 2021 11:40 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ડિંગ્કો સિંહ ( ફાઈલ ફોટો)
ભારતના પૂર્વ બોક્સર અને એશિયાઈ ખેલોના સ્વર્ણ પદક વિજેતા ડિંગ્કો સિંહનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. ભારતમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ બોક્સરોમાંના એક એવા ડિંગ્કોએ 1998માં બેન્કોક એશિયાઈ ખેલોમાં સ્વર્ણ પદક જીત્યુ હતું.
મહાન બોક્સર ડિંગ્કો સિંહ મે 2020માં કોરોના વાઈરસથી સંક્રમિત થયા હતાં. જોકે તે સમયે તેમને કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ કેન્સર સામે તેઓ જીતી શક્યા નહી. કેટલાય સમયથી તેઓ કેન્સરથી પીડાઈ રહ્યાં હતાં. ગત વર્ષે કેન્સરની સારવાર માટે તેમને ઈમ્ફાલથી તેમને દિલ્હી સારવાર માટે પણ લઈ જવામાં આવ્યાં હતાં.
ડિંગ્કો સિંહના નિધન પર અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. રમત ગમત ક્ષેત્રના કેન્દ્રિય પ્રધાન કિરણ રિજ્જુએ ડિંગ્કો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે ડિંગ્કો સિંહને ભારતમાં રમત પ્રત્યે દિવાનગી જન્માવવાનો શ્રેય આપ્યો છે.
ખેલ પ્રધાન કિરણ રિજ્જુએ ટ્વિટ કરી કહ્યું કે, "ડિંગ્કો સિંહના નિધનથી મને ખુબ જ દુઃખ થયુ છે. ભારતના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ બોક્સરોમાંના એક ડિંગ્કો સિંહએ 1998માં બેન્કોક એશિયાઈ ખેલોમાં સ્વર્ણ પદક જીતી ભારતમાં બોક્સિગ ચેન રિએક્શનને જન્મ આપ્યો. હું તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે."