શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણી માટે ઇન્ડિયા A ટીમમાં રિયાન પરાગને બદલે ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ

01 June, 2026 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તિલક વર્માની આગેવાનીમાં આગામી ૯થી ૨૧ જૂન દરમ્યાન ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં વન-ડે ત્રિકોણીય સિરીઝ રમવાની છે

વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.

તિલક વર્માની આગેવાનીમાં આગામી ૯થી ૨૧ જૂન દરમ્યાન ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં વન-ડે ત્રિકોણીય સિરીઝ રમવાની છે. આ સિરીઝમાંથી વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.

અગાઉ આ સ્ક્વૉડમાં સ્પિન ઑલરાઉન્ડર અનુકુલ રૉય રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો હતો. તેણે સ્પિનર હર્ષ દુબેનું સ્થાન લીધું હતું. હર્ષ દુબે અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે સિનિયર ટીમમાં સામેલ થયો હોવાથી તે આ ઇન્ડિયા A ટીમમાંથી બહાર થયો છે. 

sports news sports indian cricket team cricket news tilak varma riyan parag ruturaj gaikwad