18 February, 2023 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈડન ગાર્ડન્સમાં રણજી ટ્રોફી ફાઇનલમાં બેન્ગોલના પ્રથમ દાવના ૧૭૪ રન સામે ગઈ કાલે બીજા દિવસે સૌરાષ્ટ્રએ પાંચ વિકેટે ૩૧૭ રન બનાવીને ૧૪૩ રનની લીડ મેળવી લીધી હતી.
હજી બાકીની પાંચ વિકેટ પડવાની બાકી હોવાથી તોતિંગ સરસાઈ મેળવીને બેન્ગોલને બીજા દાવમાં મુશ્કેલીમાં મૂકી દેવાનો સૌરાષ્ટ્રનો પ્લાન છે. એના હેડ-કોચ નીરજ ઓડેદરાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમારા બોલર્સ બેન્ગોલને શનિવારના ત્રીજા દિવસે જ આઉટ કરી દેવા આતુર છે.’
ગઈ કાલે સૌરાષ્ટ્રને ૩૧૭/૫નો સ્કોર અપાવવામાં હાર્વિક દેસાઈ (૫૦ રન), શેલ્ડન જેક્સન (૫૯), અર્પિત વસાવડા (૮૧ નૉટઆઉટ) અને ચિરાગ જાની (૫૭ નૉટઆઉટ)નાં મહત્ત્વનાં યોગદાનો હતાં. બેન્ગોલ વતી મુકેશ કુમાર તથા ઈશાન પોરેલે બે-બે વિકેટ લીધી હતી.