03 February, 2021 02:23 PM IST |
જયદેવ ઉનડકટ અને મંગેતર રીની
લેફ્ટી પેસ બોલર જયદેવ ઉનડકટે ગઈ કાલે આણંદમાં મંગેતર રીની સાથે લગ્ન કરી લીધાં હતાં. આણંદમાં આવેલા મધુબન રિસૉર્ટમાં ખૂબ નજીકનાં સગાંસબંધીઓની હાજરીમાં આ લગ્ન સમારોહ યોજાયો હતો. જયદેવ કે રીનીએ સોશ્યલ મીડિયામાં આ લગ્ન વિશે કંઈ પણ શૅર ન કરતાં કોઈને આની જાણકારી નહોતી, પણ ગઈ કાલે તેમના મિત્રોએ પીઠીની વિધિના ફોટો અને વિડિયો શૅર કરતાં ચાહકોને આની ખબર પડી હતી. ઍડ્વોકેટ રીની સાથે જયદેવે ગયા વર્ષે ૧૫ માર્ચે સગાઈ કરી હતી.