14 April, 2025 07:20 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શાર્દૂલ ઠાકુર (ફાઇલ તસવીર)
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. રિષભ પંતના નેતૃત્વમાં, લખનૌ સુપર જાયન્ટ્સે હવે ગુજરાત ટાઇટન્સ (GT) ને 6 વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની છ મૅચમાં આ ચોથી જીત હતી. ગુજરાત સામેની જીતમાં ઝડપી બૉલર શાર્દુલ ઠાકુરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શાર્દુલે શેરફેન રૂધરફોર્ડ અને રાહુલ તેવતિયાની વિકેટ લીધી.
શાર્દુલ કૉમેન્ટેટર્સ પર કેમ ગુસ્સે થયો?
આ મૅચ પછી, શાર્દુલ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો. આ દરમિયાન શાર્દુલે ટીકાકારો પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન શાર્દુલ કૉમેન્ટેટર્સ પર પણ ગુસ્સે થયો. શાર્દુલ ઠાકુરે IPL 2025 માં અત્યાર સુધીમાં 6 મૅચમાં 11 વિકેટ લીધી છે. તે આ IPL સીઝનમાં તેની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે.
શાર્દુલ ઠાકુરે કહ્યું, `હું હંમેશા માનતો આવ્યો છું કે બૉલિંગ યુનિટ તરીકે અમે આ સિઝનમાં સારી બૉલિંગ કરી છે.` કૉમેન્ટરીમાં ઘણીવાર ટીકા થાય છે. તે બૉલરો પર કડક બનવાનો પ્રયાસ કરે છે, પરંતુ તમારે સમજવું પડશે કે ક્રિકેટ એક ચોક્કસ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં 200 કરતાં વધુ રનનો સ્કોર કરવો સામાન્ય બની ગયું છે.
તેણે વધુમાં કહ્યું, "અમે પહેલા બૅટિંગ કરતી વખતે બે વાર સ્કોરનો બચાવ કર્યો છે. અમે સારો સ્કોર કર્યો, પિચ બૅટિંગ માટે વધુ સારી બની અને મોટા ફેરફાર પછી પણ, અમે લક્ષ્યનો બચાવ કરવામાં સક્ષમ રહ્યા છે. હંમેશા ટીકા થશે, ખાસ કરીને કૉમેન્ટેટર્સ તરફથી. સ્ટુડિયોમાં બેસીને કોઈની બૉલિંગ પર ટિપ્પણી કરવી સરળ છે, પરંતુ તેઓ મેદાન પર વાસ્તવિક ચિત્ર જોતા નથી. મને ખાતરી છે કે કોઈની પણ ટીકા કરતા પહેલા, તેમણે પોતાના આંકડા તરફ જોવું જોઈએ."
શાર્દુલનો આવો રેકોર્ડ છે
લખનૌ સુપર જાયન્ટ્સે આઇપીએલ 2025 માટે મોહસીન ખાનની જગ્યાએ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો છે. આઇપીએલ 2025 મેગા ઑક્શનમાં શાર્દુલ ઠાકુર અનસોલ્ડ રહ્યો, પરંતુ હવે તે IPLમાં પોતાનો જાદુ ફેલાવી રહ્યો છે. શાર્દુલ ઠાકુરે 2015 માં પંજાબ કિંગ્સ સાથે IPL માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે 101 IPL મૅચ રમી છે, જેમાં તેણે 105 વિકેટ પૂર્ણ કરી છે અને 315 રન બનાવ્યા છે. શાર્દુલે ભારત માટે ૧૧ ટૅસ્ટ, ૪૭ વનડે અને ૨૫ ટી-૨૦ મૅચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે ૧૨૯ વિકેટ લેવા ઉપરાંત ૭૨૯ રન બનાવ્યા. લખનૌની વાત કરીયે તો આઇપીએલ ટીમ છમાંથી ચાર મૅચ જીતી છે અને બે હારી છે જેથી આઠ પોઇન્ટ્સ સાથે તે ટેબલમાં ચોથા સ્થાને છે.