06 July, 2025 12:41 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડે આવતા મહિને આયોજિત વાઇટ બૉલ સિરીઝને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. બંગલાદેશમાં અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાનાં કારણોસર ભારતની બંગલાદેશ-ટૂર કૅન્સલ કે પોસ્ટપોન થાય એવી શક્યતાઓ પહેલાંથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
પહેલાંના શેડ્યુલ અનુસાર ૧૭થી ૩૧ ઑગસ્ટ વચ્ચે ત્રણ-ત્રણ T20 અને વન-ડેની સિરીઝ રમાવાની હતી. હવે છેક સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોસ્ટપોન થયેલી આ ટૂરની મૅચોની તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ભારતની આગામી વાઇટ-બૉલ સિરીઝ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં છે.