05 March, 2023 06:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસ્કર
ઇન્દોરની પિચને નબળી જાહેર કરવાના આઇસીસીના નિર્ણય સામે સુનીલ ગાવસકરે નારાજગી વ્યક્ત કરી હતી. ગાવસકરને આઇસીસી દ્વારા ૩ ડીમેરિટ પૉઇન્ટ્સ આપવાની વાત પસંદ આવી નથી. ગાવસકરે કહ્યું કે ‘હું એક વાત જાણવા માગું છું કે નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનના ગૅબામાં ટેસ્ટ-મૅચ રમાઈ હતી, જે મૅચ બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી. એ પિચને કેટલા ડીમેરિટ પૉઇન્ટ્સ આપવામાં આવ્યા હતા અને ત્યાં મૅચ-રેફરી કોણ હતા?’ આઇસીસીએ ઇન્દોરની પિચના રિપોર્ટમાં જણાવ્યું હતું કે મૅચના પાંચમા બૉલથી જ પિચ તૂટવા માંડી હતી અને સતત તૂટતી રહી હતી. સમગ્ર મૅચ દરમ્યાન બૉલ અસમાન રીતે બાઉન્સ થતો હતો.