આવનારો પથ મુશ્કેલ છે એવું ધારીને જ આગળ વધજે: સચિનની અર્જુનને સલાહ

25 May, 2022 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મેં ક્યારેય કોઈ પણ ટીમના સિલેક્શનમાં માથું નથી માર્યું’

સચિન તેંડુલકર


લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન તેન્ડુલકરને આઇપીએલની બે સીઝન મળીને કુલ ૨૮ મૅચમાં રમવાનો મોકો નથી મળ્યો અને હવે રણજી ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડ માટેની ટીમમાં પણ તેનો સમાવેશ નથી. સચિનને ગઈ કાલે ‘સચઇન્સાઇટ’ શોમાં પુત્ર અર્જુન વિશે પુછાતાં કહ્યું, ‘હું અર્જુનને હંમેશાં કહું છું કે આવનારો પથ પડકારરૂપ, કસોટીવાળો તેમ જ મુશ્કેલ હશે. તને ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ છે એટલે જ તેં એ રમવાનું શરૂ કર્યું હતું અને એ પ્રેમ જાળવી રાખજે. મહેનત કરતો રહીશ તો પરિણામ આપોઆપ મળશે.’
સચિને ટીમ-સિલેક્શન બાબતમાં પુછાતાં કહ્યું, ‘મેં ક્યારેય કોઈ સિલેક્શનમાં પોતાને સામેલ નથી કર્યો. સિલેક્શનની બાબત હું ટીમ-મૅનેજમેન્ટ પર જ છોડતો હોઉં છું.’
અર્જુન અત્યાર સુધીમાં મુંબઈ વતી માત્ર બે ટી૨૦ મૅચ રમ્યો છે. તે ‘ટી૨૦ મુંબઈ લીગ’માં રમી ચૂક્યો છે.

sachin tendulkar arjun tendulkar sports news