શ્રીલંકા સામેની મૅચમાં બંગલાદેશના ચાર ખેલાડીઓ મેદાન પર ઘાયલ

19 March, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે સ્ટ્રેચર પર મેદાનની બહાર ગયા, એક હૉસ્પિટલમાં દાખલ

બંગલાદેશના મુસ્તફિઝુર રહમાનને અને જકેર અલીને મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જવા પડ્યા હતા.

શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં બંગલાદેશના ૪ ખેલાડીઓ ખરાબ રીતે ઈજા પામ્યા છે. ચારમાંથી બે ખેલાડીઓ માત્ર ૩ ઓવરમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. લેફ્ટી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખેંચ આવતાં દર્દ અસહ્ય બન્યું અને તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો હતો. અનકૅપ્ડ વિકેટકીપર-બૅટ્સમૅન જેકર અલી કૅચ પકડવાનો પ્રયાસ કરતી વખતે  સાથી-ખેલાડી અનામુલ હક સાથે અથડાયો જેમાં બન્નેને ગંભીર ઈજા થઈ છે. બાઉન્ડરી પર બૉલ રોકવાના ચક્કરમાં સૌમ્ય સરકાર જાહેરાતના બોર્ડ સાથે અથડાયો અને ઘાયલ થયો હતો. બંગલાદેશે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ૨-૧થી જીતીને T20 સિરીઝની હારનો બદલો લીધો છે.

sports news sports cricket news sri lanka bangladesh