તંત્રએ ખાડા રિપેર ન કર્યા એટલે લોકોએ એમાં કેળ વાવી દીધી

25 October, 2024 03:28 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના કટપડી-શિરવા સ્ટેટ હાઇવે પર મહિનાઓથી ખાડા પડેલા હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર ધ્યાન આપતું જ નથી. રસ્તો વધારે ખરાબ થઈ રહ્યો છે

કર્ણાટકના કટપડી-શિરવા સ્ટેટ હાઇવે પરના ખાડામાં કેળ વાવી દીધી હતી.

કર્ણાટકના કટપડી-શિરવા સ્ટેટ હાઇવે પર મહિનાઓથી ખાડા પડેલા હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર ધ્યાન આપતું જ નથી. રસ્તો વધારે ખરાબ થઈ રહ્યો છે. તંત્ર સુધી વાત પહોંચાડવા માટે લોકોએ ખરાબ રસ્તા વિશે એક ગીત બનાવીને સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. આ તરકીબ પણ કામ ન લાગતાં એટલે છેવટે કંટાળીને લોકોએ મંગળવારે સવારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઉદાસીનતા સામે વિરોધ દર્શાવવા હાઇવે પરના ખાડામાં કેળ વાવી દીધી હતી.

karnataka travel travel news social media viral videos national news news offbeat news