21 July, 2026 04:23 PM IST | Balaghat | Gujarati Mid-day Correspondent
સસરાએ જમાઈ સાથે દારૂ પીને ચિકન ખાધું અને પછી ગમછાથી ગળું દબાવી દીધું
મધ્ય પ્રદેશના બાલાઘાટમાં ૧૪ જુલાઈએ પોલીસને કોપે અને ડોગરિયાનાં જંગલોની વચ્ચેથી એક શબ મળ્યું હતું. એની ઓળખ ૪૦ વર્ષના રાજેન્દ્ર શરણાગત તરીકે થઈ હતી. આ ઘટના પછી આખા વિસ્તારમાં સન્નાટો મચ્યો હતો કે આ ભાઈનું શબ જંગલ પાસે પહોંચ્યું કઈ રીતે? પોલીસે પાંચ દિવસમાં ૨૩ લોકોની પૂછપરછ કરીને આ હત્યાની ગુત્થી સુલઝાવી દીધી. તપાસમાં સામે આવ્યું હતું કે રાજેન્દ્રની હત્યા તેના જ સસરા mરાજેશ ચૌહાણે કરી હતી. રાજેશે તેના દોસ્ત સાથે મળીને જમાઈની હત્યા પાર પાડી હતી. રાજેશે જમાઈને દારૂ પાર્ટી માટે ગામના સીમાડે બોલાવ્યો હતો. એ માટેના પૈસા પણ જમાઈ જ લઈને આવ્યો હતો. રાતના અંધારામાં રાજેશે જમાઈ સાથે દારૂ પીધો હતો અને પછી ચિકન શેકીને ખાધું હતું. એ પછી દારૂના નશામાં ટલ્લી થયેલા જમાઈનું ગમછાથી ગળું રૂંધીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.