બોન મેરો વગરનું મટન પીરસાતાં ભડક્યા જાનૈયા, કર્યું એવું કે દુલ્હન...

26 December, 2023 09:54 PM IST  |  Telangana | Gujarati Mid-day Online Correspondent

Wedding Called Off: સગાઈના સમારોહ બાદ જ્યારે મહેમાનોએ જણાવ્યું કે મટનનું બોન મેરો નથી પીરસવામાં આવી રહ્યું, તો ઝગડો થઈ ગયો.

સગાઈ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

Wedding Called Off: દુલ્હનના પરિવારે પોતાના પરિવારના સભ્યો અને દૂલ્હાના સંબંધીઓ સહિત બધા મહેમાનો માટે માંસાહારી મેન્યૂની વ્યવસ્થા કરી હતી. સગાઈના સમારોહ બાદ જ્યારે મહેમાનોએ જણાવ્યું કે મટનનું બોન મેરો નથી પીરસવામાં આવી રહ્યું, તો ઝગડો થઈ ગયો.

Wedding Called Off: તેલંગણમાં એક લગ્ન તૂટવાનું કારણ માત્ર એટલું કે દૂલ્હાના પરિવારને દુલ્હન પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા માંસાહારી મેન્યૂમાં મટમ બોન મેરો ન પીરસવાનું હતું. વરપક્ષ સાથે આવેલા જાનૈયાઓને બોનમેરો સાથેનું મટન ન પીરસાતા તેઓ નારાજ થયા.

Wedding Called Off: દુલ્હન નિઝામાબાદની રહેવાસી હતી, જ્યારે દુલ્હો જગતિયાલનો રહેવાસી છે. નવેમ્બરમાં છોકરીના ઘરે તેમની સગાઈ થઈ, પણ થોડાક જ સમય પછી લગ્ન તોડી નાખવામાં આવ્યા. આ દરમિયાન પોલીસે પણ વરપક્ષને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ફાયદો ન થયો.

Wedding Called Off: દુલ્હનના પરિવારે પોતાના પરિવારના સભ્યો અને દુલ્હાના સંબંધિતો સહિત બધા મહેમાનો માટે માંસાહારી મેનૂની વ્યવસ્થા કરવામાં આવી હતી. સગાઈ સમારોહ પછી જ્યારે મહેમાનોએ જણાવ્યું કે મટનનો બોન મેરો પીરસવામાં આવી રહ્યું છે, તો ઝગડો થઈ ગયો. જ્યારે મેજબાન (દુલ્હનના પરિવારે) જણાવ્યું કે વ્યંજનોમાં મટન બોન મેરો જોડવામાં આવ્યો હતો, તો વિવાદ વધી ગયો. દુલ્હા અને દુલ્હન પક્ષ વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પોલીસને બોલાવવામાં આવી.

Wedding Called Off: સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દુલ્હાના પરિવારે લડાઈને ઉકેલવા માટે મનાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ ઝગડો ન ઉકેલ્યો. તેમણે તર્ક આપ્યો કે દુલ્હનના પરિવારે જાણી જોઈને તેમનાથી આ વાત છુપાવી કે મેનૂમાં મટન બોનમેરો નહોતું. અંતે દુલ્હાના પરિવારે લગ્ન તોડવાની સાથે સગાઈની પાર્ટી પણ પૂરી થઈ ગઈ.

Wedding Called Off: અનેક લોકોએ જણાવ્યું કે આ ઘટના એક ચર્ચિત તેલુગુ ફિલ્મની સ્ટોરી સાથે મેળ ખાય છે. માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ `બાલાગમ`માં બતાવવામાં આવ્યું હતું કે બે પરિવારો વચ્ચે મટન બોનમેરોને લઈને વિવાદ વકર્યા બાદ એક લગ્ન તોડી નાખવામાં આવે છે.

નોંધનીય છે કે અમુક સમય પહેલા એક અલગ પ્રકારની લગ્નની કંકોત્રી વાયરલ થઈ હતી. આ વિશે વધુ વાત કરીએ તો જો કોઈ સાયન્ટિસ્ટનાં લગ્ન થઈ રહ્યાં હોય તો તેની કંકોતરી કેવી હોય? કેરળના યુગલે એક અનોખી કંકોતરી બનાવી છે જેમાં કંકોતરી જોઈને જ ખબર પડી જાય છે કે આ પરણનાર યુગલ વિજ્ઞાનરસિક હોવું જોઈએ. કૉંગ્રેસના નેતા શશી થરૂરે આ કંકોતરીની તસવીર ટ્વિટર પર શૅર કરીને એની ક્રીએટિવિટીને બિરદાવી છે. વાત એમ છે કે સૂર્યા અને વિથુન નામનાં યુવક-યુવતીનાં લગ્ન થઈ રહ્યાં છે.

બન્નેએ પોતાના નામનો પહેલો અને છેલ્લો અક્ષર સમાવીને Sa અને Vn સંજ્ઞા દ્વારા પોતાને પરમાણુ ગણાવ્યા છે. મહેમાનોને આમંત્રિત કરતી નોટમાં તેમણે લખ્યું છે, ‘બે પરમાણુ વિથુન અને સૂર્યાએ પોતપોતાનાં માતા-પિતાની ઍક્ટિવેશન એનર્જીથી અણુ બનવાનો નિશ્ચય કર્યો છે.’

લગ્નની તારીખને રીઍક્શન-ડેટ કહી છે અને વૅન્યુ માટે લૅબોરેટરી શબ્દ વાપયોર્ છે. એટલું જ નહીં, તેમણે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ચાર ખૂણા ધરાવતો ડાયાગ્રામ બનાવ્યો છે. સાયન્સની આ કેમિસ્ટ્રીને લગ્નની કેમિસ્ટ્રી સાથે સાંકળવાની આ ક્રીએટિવિટીને સોશ્યલ મીડિયા પર અનેક લોકોની લાઇક્સ મળી રહી છે.

telangana offbeat news national news