હવે કાયમી અને અંતિમ કરારની આશા છે: યુએસ-ઈરાન શાંતિ કરાર પર પીએમ મોદીનું નિવેદન

15 June, 2026 02:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

US Iran Peace Deal: અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાગત; એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘આશા છે કે આનાથી ક્ષેત્રમાં શાંતિ સ્થપાશે અને વૈશ્વિક વેપાર સુરક્ષિત બનશે’; શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષર થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે પશ્ચિમ એશિયા (West Asia Crisis)માં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા (United States of America) અને ઈરાન (Iran) વચ્ચે સધાયેલી સમજૂતીનું (US Iran Peace Dea) ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ ઐતિહાસિક કરારથી આ ક્ષેત્રમાં સ્થિરતા પુનઃસ્થાપિત થશે અને વૈશ્વિક વેપાર માર્ગો સુરક્ષિત બનશે.

નરેન્દ્ર મોદીએ એક્સ પર શેર કરી પોસ્ટ

આજે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ (PM Modi on US Iran Peace Deal) શેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ લાંબા સંઘર્ષના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક અવરોધો ઊભા થયા હતા અને અનેક દેશોએ નિર્દોષ નાગરિકોના જીવ ગુમાવવા પડ્યા હતા.

વડાપ્રધાને તેમની પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સધાયેલી સમજૂતીનું સ્વાગત કરું છું. આ સંઘર્ષે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક અસ્થિરતા પેદા કરી હતી અને ઘણા દેશોમાં જાનમાલનું મોટું નુકસાન કર્યું હતું.’