અમદાવાદમાં અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથની જાહેરસભા

26 March, 2019 09:50 AM IST  | 

અમદાવાદમાં અમિત શાહના પ્રચાર માટે યોગી આદિત્યનાથની જાહેરસભા

યોગી આદિત્યનાથ આજે અમદાવાદમાં

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતની 26 બેઠકો જાળવી રાખવા માટે BJP કોઈ કસર બાકી રાખવા માગતું નથી. એમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જે બેઠક પરથી ચૂંટણીમાં ઉમેદવારી કરવાના છે એ બેઠક પર દેશના ટોચના નેતાઓ પ્રચાર કરવા આવશે જેના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અમિત શાહ માટે પ્રચાર કરવા આવી રહ્યા છે. યોગી આદિત્યનાથ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને અમદાવાદમાં સભા ગજવશે.

 

આ પણ વાંચો: જામનગર બેઠકમાં રિવાબાની ટિકિટને લઈને વિવાદ

 

BJPના ગઢ સમાન ગાંધીનગર લોકસભાની અંડરમાં આવતી ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોકમાં આજે સાંજે જાહેરસભા યોજાશે જેમાં યોગી આદિત્યનાથ અમિત શાહને મત આપવા મતદારોને અપીલ કરશે.

amit shah yogi adityanath