ઇન્ડિગો કટોકટી વખતે ૪૦૦૦ની ટિકિટના ભાવ ૩૦,૦૦૦ રૂપિયા થયા ત્યારે તમે શું કર્યું?

11 December, 2025 11:13 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી હાઈ કોર્ટનો કેન્દ્ર સરકારને સણસણતો સવાલ

દિલ્હી હાઈ કોર્ટ

દિલ્હી હાઈ કોર્ટે ઇન્ડિગો કટોકટી પર ગઈ કાલે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો હતો અને કોર્ટે પૂછ્યું કે જ્યારે ઍરલાઇન નિષ્ફળ ગઈ ત્યારે સરકારે શું કર્યું? ફ્લાઇટની ટિકિટના ભાવ ૪૦૦૦-૫૦૦૦થી વધીને ૩૦,૦૦૦ રૂપિયા કેવી રીતે થયા? અન્ય ઍરલાઇન્સે આનો લાભ કેવી રીતે લીધો? તમે શું પગલાં લીધાં? તમે પરિસ્થિતિને આ તબક્કે કેમ પહોંચવા દીધી?

ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ડિવિઝન બેન્ચ ઇન્ડિગો કટોકટીની સ્વતંત્ર ન્યાયિક તપાસ અને જેમની ફ્લાઇટ્સ રદ થઈ હતી અથવા ઍરપોર્ટ પર ફસાયેલી હતી તેમની વળતરની માગણી કરતી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી.

આ મુદ્દે કોર્ટે જણાવ્યું હતું કે ‘આ ફક્ત વ્યક્તિગત મુસાફરોનો મામલો નથી, પરંતુ એને કારણે નાણાકીય નુકસાન પણ થયું છે. સરકારે ખાતરી કરવી જોઈએ કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય. સરકારે વિમાનભાડાં પર કૅપ લગાવી હતી, પણ આ કાર્યવાહી ચારથી પાંચ દિવસ પછી કરવામાં આવી હતી.’

national news india delhi high court indigo indian government