27 December, 2023 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની,
મહેન્દ્ર સિંહ ધોની પર્સનલ બાબતોને બહુ લો પ્રોફાઇલ રાખવામાં માને છે અને એટલે જ તેનાં લગ્નમાં બહુ ગણ્યાગાંઠ્યા લોકોને આમંત્રણ આપેલું. એક ઇન્ટરવ્યુમાં સુરેશ રૈના એ ધોનીનાં લગ્નની વાતને વાગોળતાં કહ્યું હતું કે માહીભાઈએ પણ મને છેલ્લી ઘડીએ ઇન્વાઇટ કરેલો. એ ઘટના વર્ણવતાં રૈના કહે છે, એક દિવસ મને માહીભાઈનો ફોન આવ્યો, કહે કિધર હૈ તૂ! મેં કહ્યું, ‘હમ તો અભી લખનઉ મેં હૈં..’ તો કહે, ‘ચૂપચાપ દેહરાદૂન આ જા. જલદી સે. ઔર હાં સાઇલન્ટલી આના, કિસી કો બતાના મત.’
તરત જ રૈના દેહરાદૂન જવા નીકળી ગયો, પણ તેની પાસે લગ્નમાં પહેરવા માટેનાં કપડાંની કોઈ તૈયારી નહોતી. રૈના કહે છે, ‘મૈંને ઉનકી શાદી મેં ઉનકે હી કપડે પહન લિયે થે.’