Patanjali Case: બાબા રામદેવની સાથે એલોપેથી ડૉક્ટરનો પણ SCએ લીધો ઉધડો, જાણો કારણ

23 April, 2024 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉર્ટે એલોપેથીના ડૉક્ટરોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તમારા ડૉક્ટર પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે. બેન્ચે કહ્યું કે 4 આંગળી તો તમારા પર પણ ઉઠે છે, જ્યારે તમે કોઈના પર એક આંગળી ઉઠાવો છો.

બાબા રામદેવ (ફાઈલ તસવીર)

કૉર્ટે એલોપેથીના ડૉક્ટરોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તમારા ડૉક્ટર પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરે છે. બેન્ચે કહ્યું કે 4 આંગળી તો તમારા પર પણ ઉઠે છે, જ્યારે તમે કોઈના પર એક આંગળી ઉઠાવો છો.

બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપની તરફથી ખોટા દાવા વાળા પ્રચાર મામલે સુનાવણી કરતા સુપ્રીમ કૉર્ટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પર પણ ટિપ્પણી કરી. કૉર્ટે એલોપેથીના ડૉક્ટરોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમારા ડૉક્ટર્સ પણ મોંઘી અને બિનજરૂરી દવાઓનો પ્રચાર કરતા હોય છે. બેન્ચે આકરા શબ્દોમાં કહ્યું કે, "જ્યારે તમે એક આંગળી કોઈના પર ઉઠાવો છો તો ચાર આંગળી તમારી તરફ પણ તો ઉઠે છે." ઉમેરતા બેન્ચે કહ્યું, તમારા (IMA) ડૉક્ટર પણ મોંઘી દવાઓનો પ્રચાર એલોપેથિક ફિલ્ડમાં કરે છે. જો એવું થઈ રહ્યું છે તો પછી તમને પ્રશ્ન કેમ ન કરવામાં આવે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે નૈતિકતાની વાત કરો છો તો તમારે તમારી જાતને પણ જોવાની જરૂર છે. એલોપેથીના તબીબો દર્દીઓને મોંઘી અને બિનજરૂરી દવાઓ પણ લખી આપે છે. કોર્ટે કહ્યું, `આઈએમએ પણ અનૈતિક પ્રથાઓ અપનાવતી હોવાની ફરિયાદો મળી છે.` એટલું જ નહીં, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ સિવાય અન્ય FMCG કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ પણ તેમના ઉત્પાદનો વિશે ખોટા દાવા કરે છે. કોર્ટે કહ્યું કે આવા ઉત્પાદનોની જાહેરાતો છે, જેનો ઉપયોગ નાના બાળકો, શાળાએ જતા બાળકો અને વરિષ્ઠ નાગરિકો પર નકારાત્મક અસર કરે છે.

કોર્ટે કહ્યું કે આ મામલામાં તમામ રાજ્યોના લાયસન્સ ઓથોરિટીને પણ પક્ષકાર બનાવવામાં આવે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ સમન્સ પાઠવ્યું હતું અને ભ્રામક જાહેરાતોના મામલામાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી કાર્યવાહી કરી તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું, `હવે અમે બધું જોઈ રહ્યા છીએ. નવજાત શિશુઓ, બાળકો અને મહિલાઓને લગતા ઉત્પાદનોને લઈને ગેરમાર્ગે દોરવામાં આવે છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે આ મામલે જાગવું જોઈએ.

એવો કયો મામલો છે જેના પર કોર્ટ દ્વારા IMAને પણ ઘેરવામાં આવી છે?
વાસ્તવમાં, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવ અને પતંજલિ વતી એલોપેથિક મેડિકલ સિસ્ટમને નિશાન બનાવવા અને તેમની કોરોનિલ દવા વિશે ભ્રામક દાવા કરવા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. એસોસિએશને કહ્યું કે બાબા રામદેવની કંપનીની દવાઓને લઈને ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે. આ સિવાય એલોપેથી વિરુદ્ધ પ્રચાર ચાલી રહ્યો છે અને બાબા રામદેવ પોતે પણ તેમાં સામેલ છે. ગયા વર્ષે પતંજલિએ કહ્યું હતું કે અમે ખોટા દાવાઓને પ્રોત્સાહન આપીશું નહીં. પરંતુ આ વર્ષે કોર્ટને જાણવા મળ્યું કે પતંજલિએ કોર્ટમાં નિવેદન આપ્યા બાદ પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આ મામલે પતંજલિએ 60 અખબારોમાં જાહેરાત આપીને માફી માંગી છે.

baba ramdev supreme court indian medical association national news