પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર સિવાય કોઈ વાતચીત નહીં થાય

27 July, 2026 09:12 AM IST  |  Drass | Gujarati Mid-day Correspondent

કારગિલ વિજય દિવસ પર રાજનાથ સિંહની પાડોશીને આપી ચેતવણી 

દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ

કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં એક સભાને સંબોધતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘પાડોશી દેશ દ્વારા કરવામાં આવેલી દરેક ખરાબ હરકતનો જવાબ તેમણે કલ્પના પણ ન કરી હોય એ રીતે આપવામાં ભારત સક્ષમ છે. પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK) સિવાયની કોઈ વાતચીત થશે નહીં. આ ભારતનો અભિન્ન હિસ્સો છે જેને પાકિસ્તાને પચાવી પાડ્યો છે. ભારત ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન કટ્ટરપંથી કેન્દ્રો બનાવી રહ્યું છે જે બન્ને દેશો વચ્ચે તીવ્ર વિરોધાભાસ દર્શાવે છે.’

rajnath singh india pakistan Pakistan occupied Kashmir Pok kargil kargil war ladakh national news news