ન્યૂઝ શોર્ટમાં: આસારામની આજીવન કેદની સજા રાજસ્થાન હાઈ કોર્ટે યથાવત્ રાખી

28 May, 2026 10:26 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

કોર્ટે દોષી ઠેરવવા સામેની તેમની અપીલ ફગાવી દેતાં તેમને જોધપુર સેન્ટ્રલ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો

આસારામ બાપુ

રાજસ્થાન હાઈ કોર્ટે ૨૦૧૩માં જોધપુર આશ્રમમાં સગીરા પર બળાત્કાર કેસમાં આસારામને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. કોર્ટે દોષી ઠેરવવા સામેની તેમની અપીલ ફગાવી દેતાં તેમને જોધપુર સેન્ટ્રલ જેલ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટે બે સહઆરોપી શિલ્પી અને શરત ચંદ્રને નિર્દોષ જાહેર કર્યાં હતાં, જેમાં તેમના પર સામૂહિક બળાત્કારના આરોપોને સમર્થન આપવા માટે પૂરતા સીધા પુરાવા નહોતા. જોકે બેન્ચે જાળવી રાખ્યું હતું કે સગીરના આસારામ સામેના આરોપો વિશ્વસનીય હતા અને બળાત્કારનો ગુનો સાબિત થયો હતો.

national news india rajasthan jodhpur asaram bapu sexual crime Protection of Children from Sexual Offences Act POCSO