Operation Sindoor: રાહુલ ગાંધીએ ઍરસ્ટ્રાઈક પર કહ્યું, ભારતીય સુરક્ષા દળો...

07 May, 2025 01:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, પહલગામ આતંકવાદી હુમલાના દિવસથી કૉંગ્રેસ સીમા પાર આતંકવાદ વિરુદ્ધ કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સશસ્ત્ર દળો અને સરકારની સાથે છે.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

ઑપરેશન સિંદૂર બાદ આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે અને દરેક લોકો ભારતીય સેનાના પરાક્રમના વખાણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ સેનાના પરાક્રમની પ્રશંસા કરતા કહ્યું કે અમને અમારા સુરક્ષાદળો પર ગર્વ છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે, "અમને અમારા સુરક્ષાદળો પર ગર્વ છે. જય હિંદ!"

રાહુલ ગાંધી પહેલા કૉંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું, ભારત પાસે પાકિસ્તાન અને PoKથી નીકળવાવાળા બધા પ્રકારના આતંકવાદ વિરુદ્ધ એક અડગ રાષ્ટ્રીય નીતિ છે.

તેમણે એક્સ પોસ્ટમાં આગળ લખ્યું, અમે પોતાના ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ જ ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓને ધ્વસ્ત કરી દીધી છે. અમે તેમના દ્રઢ સંકલ્પ અને સાહસને પ્રોત્સાહન આપીએ છીએ.

કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, પહલગામ આતંકવાદી હુમલાના દિવસથી કૉંગ્રેસ સીમા પાર આતંકવાદ વિરુદ્ધ કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સશસ્ત્ર દળો અને સરકારની સાથે છે.

તેમનું કહેવું છે કે એકતા સમયની માગ છે અને કૉંગ્રેસ આપણાં સશસ્ત્ર દળો સાથે ઊભી છે. અમારા નેતાઓએ ભૂતકાળમાં માર્ગ બતાવ્યો છે અને આપણાં દેશનું હિત બધાથી પહેલા આવે છે.

નવ આતંકવાદી છાવણીઓનો નાશ કરાયો
હકીકતે, ભારતે મંગળવારે મોડી રાત્રે હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. ઑપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી. આ એક લક્ષ્યાંકિત, માપેલ અને બિન-ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી.

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઑપરેશન સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત પ્રયાસ તરીકે કરવામાં આવ્યું હતું જેમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતીય હુમલામાં છ સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો અને આઠ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે અમને તેનો યોગ્ય જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.

નોંધનીય છે કે અગાઉ, વિક્રમ મિસ્રીએ કહ્યું હતું કે, `22 એપ્રિલ, 2025 ના રોજ, લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન-પ્રશિક્ષિત આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર બર્બરતા ભર્યો હુમલો કર્યો હતો.` ૨૫ ભારતીયો અને એક વિદેશી નાગરિકની કાયરતાથી હત્યા કરવામાં આવી હતી. મુંબઈ હુમલા પછી આતંકવાદી હુમલામાં નાગરિકોના મોતની આ સૌથી ગંભીર ઘટના હતી. આ હુમલામાં, ત્યાં હાજર લોકોને નજીકથી અને તેમના પરિવારોની સામે માથામાં ગોળી મારી દેવામાં આવી હતી. પરિવારના સભ્યોને જાણી જોઈને આઘાત પહોંચાડવામાં આવ્યો હતો. તેમને હુમલાનો સંદેશ પહોંચાડવાની પણ સલાહ આપવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં પુનઃસ્થાપિત થઈ રહેલી સામાન્ય સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે આ કરવામાં આવ્યું હતું. આ હુમલાનો ઉદ્દેશ્ય પર્યટનને પ્રતિકૂળ નુકસાન પહોંચાડવાનો હતો. ગયા વર્ષે, લગભગ 75 મિલિયન પ્રવાસીઓ અહીં આવ્યા હતા. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય આ વિસ્તારને પછાત રાખવાનો હતો. હુમલાની આ પદ્ધતિનો હેતુ જમ્મુ-કાશ્મીર અને અન્ય રાજ્યોમાં કોમી રમખાણો ભડકાવવાનો પણ હતો. અમે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. પોતાને રેઝિસ્ટન્સ ફ્રન્ટ કહેવાતા એક જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી. આ પ્રતિબંધિત જૂથ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં આ સંગઠન વિશે ઇનપુટ્સ આપ્યા હતા. આનાથી પાકિસ્તાની આતંકવાદી જૂથો માટે TRFની ભૂમિકા ખુલ્લી પડી ગઈ.

congress rahul gandhi operation sindoor mallikarjun kharge Pahalgam Terror Attack terror attack jammu and kashmir pakistan