27 April, 2026 08:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિગ્ગજ ફોટો-જર્નલિસ્ટ રઘુ રાયને અંતિમ વિદાય આપતી વખતે તેમના પાર્થિવ દેહ પર એક કૅમેરા અને રોલ મૂકવામાં આવ્યા હતા
ભારતના જાણીતા ફોટોગ્રાફર અને દુનિયાના પ્રતિષ્ઠિત ફોટો-જર્નલિસ્ટોમાં જેની ગણના થાય છે એવા રઘુ રાયનું ગઈ કાલે ૮૩ વર્ષની વયે નિધન થયું હતું. ગઈ કાલે સાંજે ૪ વાગ્યે તેમના પાર્થિવ દેહના દિલ્હીના લોધી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
રઘુ રાયને ભારતીય ફોટોગ્રાફી અને ફોટો-જર્નલિઝમના જનક માનવામાં આવતા હતા. તેમણે પાંચ દાયકાથી વધુ સમય દેશ અને દુનિયાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને પોતાના કૅમેરામાં કેદ કરી હતી. તેમણે લીધેલી તસવીરો માત્ર ફોટોગ્રાફ્સ જ નહીં, ઇતિહાસનો જીવંત દસ્તાવેજ મનાતી હતી. તેમણે લીધેલી સૌથી વધુ ચર્ચિત તસવીરોમાંની એક છે ભોપાલ ગૅસકાંડ પછીની તસવીર જેમાં એક માસૂમ બાળકનું નિર્જીવ શરીર છે. આ ફોટોએ પૂરી દુનિયાનું ધ્યાન આ ગૅસકાંડ તરફ ધ્યાન ખેંચ્યું હતું.