મને ૩૦૦ ફોનકૉલ્સ આવ્યા, મારે ફોન આખરે બંધ કરી દેવો પડ્યો, વિચારું છું કે પોલીસમાં ફરિયાદ કરું

20 September, 2025 09:54 AM IST  |  Praygraj | Gujarati Mid-day Correspondent

પ્રયાગરાજના અંજની મિશ્રા નામના સેલ્સમૅનનો નંબર લિસ્ટમાં જાહેર થઈ જતાં તેણે ગઈ કાલે જાહેરમાં આવીને રાહુલ ગાંધીના આરોપોને ખોટા પાડ્યા હતા

અંજની મિશ્રા

ગુરુવારે પ્રેસ-કૉન્ફરન્સમાં વોટચોરીના આરોપોને સાબિત કરવા માટે રાહુલ ગાંધીએ પુરાવાઓરૂપે કેટલાક લોકોનાં નામ નંબર સાથે સ્ક્રીન પર રજૂ કર્યાં હતાં. એમાંથી એક મોબાઇલ-નંબર પ્રયાગરાજના અંજની મિશ્રાનો હતો. અંજની મિશ્રા સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ ખોટી રીતે મારો નંબર બતાવ્યો છે અને તેમનો રિપોર્ટ જુઠ્ઠો છે. ટીવી પર મારો નંબર જોઈને મને ગઈ કાલે ૩૦૦થી વધુ ફોન આવ્યા. આખરે મારે ફોન બંધ કરી દેવો પડ્યો. હું કદી મહારાષ્ટ્રમાં રહ્યો જ નથી. મારો આ નંબર ૧૫ વર્ષથી મારી પાસે છે, પણ હવે એ જાહેર થઈ જતાં મને ખૂબ તકલીફ પડી રહી છે. મારું વોટર-ઓળખપત્ર તો પ્રયાગરાજનું છે. રાહુલ ગાંધીએ મારા ઓળખપત્રને ખોટી રીતે રજૂ કર્યું છે. હું આ વિશે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરીશ.’

prayagraj uttar pradesh election commission of india rahul gandhi congress national news news