પહલગામના પોની-માલિકો ધરણાં પર બેઠા

29 May, 2025 11:07 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

સ્થાનિક અધિકારીઓએ પોની-માલિકોને પર્યટન-સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી ન આપતાં પોની-માલિકો ધરણાં પર બેઠા હતા

પોની-માલિકો ધરણાં પર બેઠા

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાનાં કારણોસર પર્યટન-સ્થળો બંધ કરી દેવામાં આવ્યાં છે અને ડરને લીધે ટૂરિસ્ટો આવતાં ડરે છે એટલે સ્થાનિક પોની-માલિકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ પોતે પહલગામમાં સાઇકલ ચલાવીને સબ સલામતનો સંદેશ આપ્યો હતો. આમ છતાં સ્થાનિક અધિકારીઓએ પોની-માલિકોને પર્યટન-સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી ન આપતાં પોની-માલિકો ધરણાં પર બેઠા હતા. તેમનું કહેવું હતું કે મંગળવારે એક બેઠકમાં મુખ્ય પ્રધાને વચન આપ્યું હતું કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.

Pahalgam Terror Attack terror attack travel travel news news national news kashmir omar abdullah