રામ મંદિરની દાનચોરી પર સંસદ પરિસરમાં નાટક ભજવ્યું વિપક્ષે

01 August, 2026 08:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પપ્પુ યાદવ બન્યા પૂજારી, રાહુલ ગાંધીએ નાખ્યા દાનપેટીમાં રૂપિયા, પછી પપ્પુ યાદવ દાનપેટી લઈને ભાગ્યા અને પકડાયા

ગઈ કાલે સંસદ પરિસરમાં ભજવાયેલું રામ મંદિરમાં થયેલી દાનચોરીનું નાટક

અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરીના મુદ્દે વિરોધ નોંધાવવા વિપક્ષી સંસદસભ્યોએ ગુરુવારે સંસદના પરિસરમાં અનોખું શૉર્ટ વ્યંગાત્મક નાટક રજૂ કર્યું હતું.

આ નાટકમાં બિહારના પૂર્ણિયાના અપક્ષ સંસદસભ્ય પપ્પુ યાદવ પૂજારીના વેશમાં જમીન પર દાનપેટી સાથે બેઠા હતા. ત્યાર બાદ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાનપેટીમાં રૂપિયા નાખ્યા હતા. પછી થોડી વાર બાદ પપ્પુ યાદવ ત્યાંથી દાનપેટી લઈને દોડી ગયા હતા અને એમ કરવા જતાં પકડાઈ ગયા હતા.

ram mandir ayodhya new delhi rahul gandhi political news national news news