ગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : ​પ્રિયંકા ગાંધી

24 February, 2021 10:31 AM IST  |  New Delhi | Agency

ગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : ​પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે જણાવ્યું હતું કે સત્તાધારીઓના અભિમાન અને ઉધ્ધતાઈનું ખંડન કેવી રીતે કરવું એ મથુરાના લોકો સારી રીતે જાણે છે. કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદા વિરુધ્ધ પશ્ચિમી ઉત્તર પ્રદેશના ૨૭ જિલ્લામાં કૉન્ગ્રેસની કિસાન પંચાયતોના ભાગરૂપે મથુરામાં ખેડૂતોની સભાને સંબોધતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે બીજેપી સરકારને બધુ વેચવાની એવી લત લાગી ગઈ છે એ કે ગોર્વધન પર્વતને સંભાળીને રાખો, એને પણ વેચવાનો પ્રયત્ન કરશે.

national news priyanka gandhi congress bharatiya janata party