ઈન્ડિગોની ફ્લાઈટનું ટેક્નિકલ ખામીને કારણે આસામમાં ઈમરજન્સી લેન્ડિંગ

04 June, 2023 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડિબ્રુગઢ જતી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)માં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ રવિવારે સવારે આસામ (Assam)ના ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ  (Indigo flight emergency landing)કરવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ડિબ્રુગઢ જતી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)માં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ રવિવારે સવારે આસામ (Assam)ના ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ  (Indigo flight emergency landing)કરવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી, ડિબ્રુગઢના ધારાસભ્ય પ્રશાંત ફુકન અને દુનિયાજાનના ધારાસભ્ય તેરશ ગ્વાલા પણ બોર્ડમાં હતા. ધારાસભ્ય ફુકને કહ્યું કે તમામ મુસાફરો ગુવાહાટીમાં છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે.

મામલો શું છે
મળતી માહિતી મુજબ, સવારે ગુવાહાટીથી ડિબ્રુગઢ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને અચાનક ગુવાહાટી તરફ વાળવામાં આવી હતી અને ત્યાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં અન્ય મુસાફરો ઉપરાંત, ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્ય મંત્રી રામેશ્વર તેલી પણ વિમાન નંબર 6E2652માં સવાર હતા. આ સિવાય આસામના ડિબ્રુગઢના ધારાસભ્ય પ્રશાંત ફુકન અને દુનિયાજાનના ધારાસભ્ય તેરશ ગ્વાલા પણ હાજર હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં જગન્નાથ મંદિર પરિસર વિરાટ સ્વરૂપે આકાર લેશે

પ્લેનને ગુવાહાટીમાં પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું
આ ઘટનાની પુષ્ટિ કરતા ધારાસભ્ય ફુકને કહ્યું કે, ગુવાહાટીથી નીકળ્યાને લગભગ 15 મિનિટ થઈ હશે કે વિમાનને અચાનક ગુવાહાટી પરત લઈ જવાની જાણ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં ટેક્નિકલ ખામી છે. તેમણે કહ્યું કે અમે બધા ગુવાહાટીમાં સુરક્ષિત છીએ. તેમણે કહ્યું, હવે અહીં તમામ મુસાફરો ચિંતિત છે. તેમને ડિબ્રુગઢ ક્યારે લઈ જવામાં આવશે ત્યાં સુધી હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.

national news assam indigo