22 May, 2025 12:30 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતે ગઈ કાલે પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત બીજા અધિકારીને તેના સત્તાવાર દરજ્જા સાથે મેળ ન ખાતી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ હાંકી કાઢ્યો હતો અને ૨૪ કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો હતો.
આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેના સત્તાવાર દરજ્જા સાથે મેળ ન ખાતી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નૉન-ગ્રેટા જાહેર કર્યો છે અને ૨૪ કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ જાસૂસીકાંડમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.
આ પહેલાં ગયા અઠવાડિયે પણ નવી દિલ્હીએ પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને હાંકી કાઢ્યો હતો. તેણે નવી દિલ્હીમાં પાકિસ્તાની ચાર્જ ડી’અફેર્સને અધિકારીની પ્રવૃત્તિઓ અંગે ડીમાર્ચ પણ જાહેર કર્યો હતો.