અમેરિકન રક્ષાપ્રધાનને રાજનાથ સિંહે કર્યો ફોન, પહલગામ હુમલા વિશે થઈ વાતચીત

02 May, 2025 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથ સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઈ હતી.

ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ

પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત લડાયક મૂડમાં છે. ભારત કોઈ પણ સમયે હુમલો કરશે એવી ભીતિમાં પાકિસ્તાન છે. આ દરમ્યાન ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથ સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઈ હતી.

એ દરમ્યાન અમેરિકાએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમે ભારતના સૈન્ય અધિકારોનું સમર્થન કરી છીએ. આ અગાઉ અમેરિકન વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને બન્નેને તનાવ ઘટાડવા અપીલ કરી હતી.

rajnath singh india united states of america Pahalgam Terror Attack terror attack national news news