વારાણસીના ૩૫ ઘાટ પાણીમાં ડૂબ્યા, આરતીનું સ્થળ બદલવું પડ્યું

10 July, 2025 10:40 AM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબદહનનું સ્થળ પણ બદલવું પડ્યું

ગઈ કાલે વારાણસીમાં ગંગાનું સ્તર ખૂબ વધી જતાં પોતાનો સામાન શિફ્ટ કરતા લોકો.

વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતાં મંગળવારથી જ ૩૫ ઘાટોનો સંપર્ક તૂટી ગયો હતો. ગઈ કાલ સાંજ સુધી વરસાદ ચાલુ જ હોવાથી દર કલાકે જળસ્તરમાં બે સેન્ટિમીટરનો સતત વધારો થતો રહ્યો છે. એને કારણે આ વર્ષે પહેલી વાર દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતીનું સ્થળ ૧૦ ફુટ પાછળ ખસેડવું પડ્યું હતું. એટલું જ નહીં, જે ઘાટો અવિરત શબદાહ માટે પ્રસિદ્ધ છે એવા મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર શબદહનની જગ્યા પણ બદલવી પડી હતી.

જળસ્તર વધી રહ્યું હોવા છતાં સેંકડો શ્રદ્ધાળુઓ દૈનિક સંધ્યા આરતીમાં સામેલ થયા હતા.

અયોધ્યામાં પણ રામપથ સુધી પાણી ભરાઈ ગયાં 
બુધવારે વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અયોધ્યામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રામપથ પર પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હોવાથી વાહનો અટવાઈ ગયાં હતાં.

varanasi ganga national news news monsoon news Weather Update