ભારતમાં સૌથી વધુ ટકા સાક્ષરતા દર ધરાવતા કેરળમાં નકલી ડિગ્રી રૅકેટ? 10 લાખથી વધુ…

10 December, 2025 08:37 PM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય આરોપી, ધનેશ, જેને `દાની` તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 2013 માં નકલી પ્રમાણપત્રો (ડિગ્રી સર્ટિફિકેટ) વહેંચવા બદલ પોલીસ તપાસ હેઠળ આવ્યો હતો. જેલની સજા પછી, તેણે તમિલનાડુના પોલ્લાચીમાં ભાડાના ઘરમાંથી કામગીરીનો વિસ્તાર કર્યો.

તસવીર સૌજન્ય (X)

ભારતમાં સૌથી વધુ ટકા સાક્ષરતા દર હોવાનું કહેવાતા કેરળ રાજ્યમાં એક મોટા બનાટવી ડિગ્રી રૅકેટનો ખુલાસો થયો છે. કેરળ પોલીસે વિદેશી ડિગ્રી સહિત નકલી યુનિવર્સિટી પ્રમાણપત્રો બનાવી વિતરણ કરતા એક વિશાળ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં એવો ખુલાસો થયો છે કે કેવી રીતે અગાઉ ધરપકડ કરાયેલા ગુનેગારે પોતાનું કૌભાંડનું સામ્રાજ્ય ફરીથી બનાવ્યું હતું. અધિકારીઓએ અનેક રાજ્યોમાંથી 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જે એક એવી યોજનાનો પર્દાફાશ કરે છે જેણે સમગ્ર ભારતમાં 10 લાખથી વધુ લોકોને પ્રમાણપત્રો પૂરા પાડ્યા હશે.

આ રકેટ પાછળ કોણ છે?

મુખ્ય આરોપી, ધનેશ, જેને `દાની` તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 2013 માં નકલી પ્રમાણપત્રો (ડિગ્રી સર્ટિફિકેટ) વહેંચવા બદલ પોલીસ તપાસ હેઠળ આવ્યો હતો. જેલની સજા પછી, તેણે તમિલનાડુના પોલ્લાચીમાં ભાડાના ઘરમાંથી કામગીરીનો વિસ્તાર કર્યો. તેને ટેકો આપતા શિવકાશીના કામદારો, પ્રિન્ટિંગમાં અનુભવી અને કેરળ અને અન્ય રાજ્યોમાં એજન્ટો હતા. ધરપકડ કરાયેલા અન્ય લોકોમાં ઇર્શાદ, રાહુલ, નિસાર, જસીમ, શફીક (40), રતીશ (38), અફસલ (31), અને ત્રણ તમિલનાડુના રહેવાસીઓ - જૈનુલાબિદીન (40), અરવિંદ (24) અને વેંકટેશ (24)નો સમાવેશ થાય છે. પ્રમાણપત્રો છાપવા અને પરિવહન કરવાથી લઈને ભરતી એજન્સીઓ દ્વારા વિતરણ કરવા સુધી દરેકે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

કૌભાંડ કેવી રીતે ચાલતું હતું

ધનીએશે પોલ્લાચીમાં એક ગુપ્ત પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપ્યું. પ્રમાણપત્રો યુનિવર્સિટીના નામ સાથે છાપવામાં આવતા હતા અને બાદમાં ઉમેદવારોની વિગતો સાથે વ્યક્તિગત કરવામાં આવતા હતા. કામગીરી ગુપ્ત રાખવા માટે, પ્રમાણપત્રો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી અને પશ્ચિમ બંગાળના એજન્ટોને વહેંચતા પહેલા બૅંગલુરુ મોકલવામાં આવ્યા હતા. બનાવટી પ્રમાણપત્રો પર ખોટી સહીઓ, હોલોગ્રામ સીલ અને યુનિવર્સિટી સ્ટેમ્પ પણ હતા. પોલીસે વિવિધ સ્થળોએથી સેંકડો પ્રિન્ટર, કમ્પ્યુટર અને નકલી સીલ જપ્ત કર્યા હતા. તપાસકર્તાઓએ કેરળની બહારની 22 યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા લગભગ એક લાખ નકલી પ્રમાણપત્રો પણ જપ્ત કર્યા છે.

કૌભાંડના પૈસે ઍશ

ધનીએશ વૈભવી જીવનશૈલી ધરાવતો હતો. પોલીસ કહે છે કે તેણે મલપ્પુરમમાં એક વૈભવી ઘર, બે ફાઇવ સ્ટાર બાર, પુણેમાં એપાર્ટમેન્ટ અને મધ્ય પૂર્વમાં વ્યવસાયોમાં રોકાણ કર્યું હતું. તેના પરિવાર સાથે વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તેની કોઝીકોડમાં ધરપકડ કરવામાં આવી હતી. સર્ટિફિકેટના પરિવહન માટે જવાબદાર જસીમની બૅંગલુરુમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલ્લાચી અને શિવકાશી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા કામદારોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

પોલીસ પ્રશ્નોની તપાસ કરી રહી છે

પોલીસે તપાસ કરી રહી છે કે શું યુનિવર્સિટીના કોઈ અધિકારીઓએ પ્રમાણપત્ર ટૅમ્પ્લેટ અથવા અન્ય સંવેદનશીલ માહિતી આપીને કૌભાંડમાં મદદ કરી હતી. નકલી પ્રમાણપત્રોને ચકાસણી માટે સંબંધિત યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવશે. પોલીસ આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નોકરીઓ મેળવનારાઓને પણ શોધી રહી છે, જેમાં દરેક પ્રમાણપત્ર રૂ. 75,000 થી રૂ. 1.5 લાખમાં વેચાયા હોવાના અહેવાલ છે, જેનાથી ધનેશ કરોડોની કમાણી કરી છે.

kerala jihad national news thiruvananthapuram viral videos