27 March, 2026 10:59 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent
કરુણ ઘટના
આંધ્ર પ્રદેશના મરકાપુરમ જિલ્લામાં ગુરુવારે એક રોડ-અકસ્માત થયો હતો જેમાં એક પ્રાઇવેટ ટ્રાવેલ બસની ડમ્પર સાથે ટક્કર થઈ હતી. ટક્કર લાગતાં જ બસમાં આગ લાગી હતી. બસમાં સવાર ૩૫માંથી ૧૩ મુસાફરો જીવતા સળગી ગયા હતા. બાવીસ યાત્રીને બચાવી લેવાયા હતા, પરંતુ એમાંથી ઘણા ગંભીર રીતે દાઝ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ હરિકૃષ્ણા ટ્રાવેલ્સની બસ તેલંગણના નિર્મલથી આંધ્ર પ્રદેશના નેલ્લોર જઈ રહી હતી ત્યારે સવારે ૬ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
ફાયર-બિગ્રેડની ટીમને આગ બુઝાવતાં ૩ કલાક લાગ્યા હતા. આ ઘટના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને જીવ ગુમાવનારા લોકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાની અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયતા જાહેર કરી હતી.