22 March, 2019 04:15 PM IST |
રણદીપ સુરજેવાલા
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોર કમિટીના સદસ્ય રણદીપ સુરજેવાલાએ ભાજપના ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા પર ભાજપના નેતાઓને 1800 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ કહ્યું કે અમારી પાસે આનો મજબૂત પુરાવો છે. એમણે આ આક્ષેપોને મેગેઝિનમાં પ્રકાશિત વાર્તાઓના આધાર પર લગાવ્યા હતા.
આર સુરજેવાલાએ આરોપ લગાવતા કહ્યું કે જ્યારે બીએસ યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ હતા, એમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. આ વરિષ્ઠ નેતાઓમાં રાજનાથ સિંહથી લઈને જેટલી સુધી સામેલ છે. ભાજપના ટોચના નેતૃત્વમાં 1800 કરોડ રૂપિયાની લાંચનો પણ આરોપ છે.
સુરજેવાલાએ પૂછ્યું કે શું સાચુ અને શું ખોટું? બીએસ યેદિયુરપ્પાના સિગ્નેચરવાલી ડાયરી 2017થી આયકર વિભાગની પાસે હતી. જો એવું છે તો મોદી અને બાજપે એની તપાસ કેમ નથી કરાવી?
સુરજેવાલાએ પૂછ્યું, ભાજપે જણાવ્યું કે શું તે બાબતની તપાસ કરશે કે નહીં. હવે લોકપાલ અને અન્ય સંસ્થાઓ પણ છે. 'તેમણે કહ્યું કે જો આ ડાયરીમાં કોઈ સત્ય નથી, તો બીજેપી શા માટે તેની તપાસ કરે છે?